/connect-gujarat/media/post_banners/e1a5faf2e0fd575127ee269aeb69f88760be55d8705632101b3e14397a5116e2.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરછના ભુજ ખાતે સ્મૃતિવન સહિતના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ કરછ સાથેની જૂની યાદો તાજી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો ત્યાર બાદ વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001ના ભુકંપમાં દિવંગત થયેલાં લોકોની સ્મૃતિમાં ભુજીયા ડુંગર ખાતે બનાવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું.
સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો સાથે મેમોરિયલની વિવિધ ગેલેરીઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કચ્છીભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, સ્મૃતિવન સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે આજે મન બહુ બધી ભાવનાઓથી ભરેલું છે. સ્મૃતિવનમાં ગયા બાદ બહાર નિકળવાનું મન જ થયું ન હતું. સ્મૃતિવનમાં પ્રદર્શન નિહાળીને જૂની યાદો તાજી થઈ ગઈ હતી.