કચ્છ : મોરારીબાપુની રામકથા યોજાશે, આગામી 22 એપ્રિલથી નખત્રાણા કોટડા ખાતે કથાનું આયોજન

કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે.

New Update
કચ્છ : મોરારીબાપુની રામકથા યોજાશે, આગામી 22 એપ્રિલથી નખત્રાણા કોટડા ખાતે કથાનું આયોજન

કથાના મુખ્ય યજમાન અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરારીબાપુની ઐતિહાસિક કથાને સફળ બનાવવા હજારો રામ સેવકો તન-મન-ધનથી તત્પર છે. સતત ખડે પગે રહીને સ્વયં સેવકો સેવા આપશે. આજે હજારો સ્વયં સેવકોની વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પાણી સમિતિ, વાહન સમિતિ, રાજકિય પ્રોટોકોલ સમિતિ, મેડિકલ, લાઈટ, સંતો-મહંતો, કથાકાર વ્યવસ્થા સમિતિ, મહિલા સમિતિ, શણગાર સમિતિ, મનોરંજન સમિતિ, કાર્યાલય સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, મીડિયા સમિતિ, સેવા વસ્તી કિટ સમિતિ, ફોટોગ્રાફી, સફાઈ, ભોજન વ્યવસ્થા સહિતની વિવિધ સમિતિની વરણી કરવામાં આવી હતી. રામકથામાં દરરોજ ૩૦થી ૪૦ હજાર લોકોને મહાપ્રસાદ અપાશે, પરંતુ આસ-પાસના ગામોની દરેક ગાય માતાને ૧૧૦૦ મણ લીલાચારાનું નિરણ કરવામાં આવશે. પંખીને ચણ, કૂતરાને રોટલા સહિતની જીવદયા પ્રવૃત્તિ પણ થશ તેવી માહિતી બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા આપી હતી તો નિરાધારો, ગરીબને રાશનકિટ પણ આપવામાં આવશે.કથા દરમિયાન વિવિધ સમિતિમાં નર-નારી કથામાં નાનેતર જાતિ (કિન્નરો) પણ તેમની સમાજ સેવા આપી આહૂતિ આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુ કિન્નર સમાજ માટે રામાયણ કથા આપી ચૂક્યા છે. આ કથાને લઈને અઢારે આલમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. રામ સેતુમાં ખીસકોલી જે ચપટી ધુળ આપીને પોતાની સેવા આપી હતી તેવી આ ભગીરથ રામકથાના કાર્યમાં કિન્નરો પણ આહૂતિ આપશે. બીજું કથામાં વિકલાંગ, વૃદ્ધો તથા શ્રવણ કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.