કચ્છ : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે જિલ્લાના ચાર કારીગરોની પસંદગી, જાણો તેમની કલા વિષે...

દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે.

New Update
કચ્છ : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે જિલ્લાના ચાર કારીગરોની પસંદગી, જાણો તેમની કલા વિષે...

દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે. 2021ના રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે સમગ્ર દેશમાંથી 10 કારીગરની પસંદગી કરાઈ હતી તે પૈકી ચાર કારીગરો કચ્છના છે. આ યુવા કારીગરોને 18મી માર્ચના ઓનલાઈન પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

દેશભરમાંથી કમલાદેવી પુરસ્કાર માટે 10 કારીગરોની પસંદગી કરવામાં આવી છે.જેમાં કચ્છના 4 કારીગરો પૈકી રોગાન કલા માટે નિરોણાના મોહમ્મદ રિઝવાનને તથા બાંધણી માટે ભુજના યુવા કસબી અબ્દુલ વહાબ ખત્રીને આ કમલાદેવી કલા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે. નિરોણાના રોગાન કળાના કારીગર મોહમ્મદ રિઝવાન ખત્રીએ જણાવ્યું હતું કે તેઓએ આ પુરસ્કાર માટે રોગાનના રંગોથી સજાવેલા ફેન્સી વસ્ત્રોના ફોટા મોકલાવ્યા હતા.મોહમ્મદ રિઝવાનએ અગાઉ 2016નો સ્ટેટ એવોર્ડ 2017માં લેકમે ફેશન એવોર્ડ તેમજ 2019માં પેરિસ ફેશન મેળવ્યા છે.તો આ કમલા દેવી એવોર્ડ આ લુપ્ત થતી રોગાન કલાને જીવંત રાખવા તેમજ ગામની સ્થાનિક 45 જેટલી મહિલાઓને શિખડવા માટે તેમને આપવામાં આવ્યો છે.

ભુજની બાંધણી માટે કમલાદેવી પુરસ્કાર માટે પસંદગી પામેલા યુવા કારીગર અબ્દુલ વહાબ ખત્રીએ જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ-6 વર્ષથી આ બાંધણીનું કામ કરી રહ્યો છે. આ વર્ષે તેને યંગ આર્ટીઝનનો એવોર્ડ જાહેર થયો છે જેમાં તેણે બે સ્ટોલ અને બે સાડી પસંદગી માટે મોકલી હતી.

Read the Next Article

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ

  • કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

  • સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું

  • કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.

સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છેજાતે કામ કરવા માટે નહીં.

ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.