કચ્છ : મોટી રાયણમાં નર્મદા કેનાલમાં મહિલા સહિત બે બાળકોના ડૂબી જતાં મોત
BY Connect Gujarat9 April 2023 5:20 PM GMT
X
Connect Gujarat9 April 2023 5:20 PM GMT
નર્મદા કેનાલ નજીક બળતણ લેવા ગયેલી મહિલા અને તેના બે પુત્ર અકસ્માતે કેનાલમાં પડી જતા ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચાર મોટી રાયણ ગામમાં મળતા પરિવારજનો અને ગામલોકોમાં શોકનો માહોલ છવાયો હતો.
માંડવીથી 9 કિલોમીટર દૂર આવેલા મોટી રાયણ ગામે સાથે બળતણ લેવા ગયેલા 44 વર્ષીય હમીડાબાઈ હારુન કુરેશી તથા તેમના 15 વર્ષીય સોહિલ અને શબીર ગામની ઉત્તર દિશાએ આવેલા વાડી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી જતા મોતને ભેટ્યા હતા.ત્રણેય હતભાગીઓના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર લાવી 108 એમ્બ્યુલન્સ મારફતે માંડવી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમના પોસમોર્ટમ બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Next Story