અમરેલી : પૂજાપાદર ગામે માલધારીના વાડામાં દીપડો ત્રાટક્યો, 16 ઘેટા-બકરાના ઘટના સ્થળે મોત, 7 પશુ ઘાયલ

દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી

New Update
  • લીલીયાના પૂજાપાદરમાં જોવા મળ્યો ચાર પગનો આંતક

  • વાડામાં દીપડો ત્રાટકતા 16 ઘેટા-બકરાના નીપજ્યાં મોત

  • દીપડાએ 7 ઘેટા-બકરાને પહોંચાડી હતી ગંભીર ઈજાઓ

  • ઘેટા-બકરાના મોતને લઈ પશુપાલક માલધારીમાં હતાશા

  • વન વિભાગ દ્વારા હિંસક દીપડાને પકડી પાડવાની કવાયત

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પૂજાપાદર ગામમાં ઘેટા-બકરાના વાડામાં દીપડો ત્રાટક્યો હતો. દીપડાના હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાજ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છેત્યારે લીલીયા તાલુકાના પૂજાપાદર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના માલધારી ગોવિંદ રાતડીયાના ઘેટા-બકરાના વાડામાં રાત્રિના સમયે દીપડો ત્રાટક્યો હતો. દીપડાના અચાનક હુમલાથી વાડામાં રહેલા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 16 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાજ્યારે અન્ય 7 પશુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવની જાણ થતાં લીલીયા રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગે પંચનામાની કાર્યવાહી હાથ ધરી દીપડાનું લોકેશન શોધવા માટે સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે. આ સાથે જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મુકવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારના નિયમ મુજબ માલધારી પરિવારને મૃત પશુઓનું વળતર ચૂકવવામાં આવશે. તો બીજી તરફગ્રામજનોએ દીપડાને પકડીને અન્યત્ર ખસેડવાની માંગણી કરી છે.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.