ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ : અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રીએ ધ્વજા ચઢાવી..

સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.

New Update

સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય

Advertisment

અંબાજી તેમજ ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મેળો ભરાયો

અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ

ખેડબ્રહ્મા અંબાજી મંદિરે પોલીસ દ્વારા ધ્વજારોહણ કરાયું

મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરી ધન્ય થયા

સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છેત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.

ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માઁ અંબાના મંદિરે ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાના મંદિરે ધજા ચડાવાની પરંપરા રહી છેત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસની ટીમ સાથે જોડાયા હતા. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. આ સાથે જ જિલ્લા માહિતી કચેરી-પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયસાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્ર કડિયાએબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિતના પત્રકારો ઉપસ્થિત રહી માઁ અંબાના આશીર્વાદ લીધા હતા.

Advertisment

તો બીજી તરફઉત્તર ગુજરાતમાં આવેલું વિશ્વ વિખ્યાત મંદિર માઁ અંબાના પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના દિવસે દર વર્ષે મોટો મેળો ભરાય છેજ્યાં હજારો માઈભક્તો પગપાળા યાત્રા યોજી અંબાના ચરણે શિશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. દર વર્ષે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા ધ્વજા રોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છેત્યારે આ વર્ષે પણ ખેડબ્રહ્મા બસ સ્ટેશનથી પગપાળા માઁ અંબાજી મંદિર સુધી વાજતે ગાજતે ડીજેના તાલે ધ્વજાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પી.આઈ. ડી.આર.પઢેરીયા અને પીએસઆઇ એ.વી.જોશી સહિતના પોલીસકર્મીઓએ માઁ અંબાજીના મંદિરે ધ્વજા રોહણ કર્યું હતું. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રતનકવર ગઢવીચારણએસ.પી વિજય પટેલપ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેનાપ્રાંત અધિકારીમામલતદાર,  ટીડીઓ સહિતના અધિકારીઓએ પણ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો, ૧૭૦ નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે, જેને પગલે કુલ સક્રિય કેસોની

New Update
દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે,

Advertisment W3.CSS

જેને પગલે કુલ સક્રિય કેસોની સંખ્યા ૭૧૭ પર પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે.

જિલ્લાવાર સ્થિતિ:

ભાવનગર જિલ્લામાં કોરોનાના ૭ નવા કેસ નોંધાયા છે.

  • મહેસાણા જિલ્લામાં પણ ૬ નવા કેસ સામે આવ્યા છે.
  • હિંમતનગરમાં કોરોનાના ૨ નવા કેસ નોંધાયા છે, જેમાં હિંમતનગર મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટર પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.