હવામાન વિભાગની આગાહી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં આકરી ગરમીની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 મે સુધી ગરમીથી રાહતના સંકેત નથી. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગનભઠ્ઠીનો અનુભવ થઇ રહ્યો છે.

New Update
wethaer

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 4 મે સુધી ગરમીથી રાહતના સંકેત નથી. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગનભઠ્ઠીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદમાં આકરી ગરમીની આગાહી કરી છે.

અમદાવાદ સહિત રાજ્યમાં હજુ આભમાંથી અગનવર્ષા વરસશે.હજુ બે દિવસ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે.  મંગળવારે 44.8 ડિગ્રીમાં અમદાવાદ શેકાયું. છેલ્લા 10 વર્ષનો અમદાવાદનો સૌથી હોટેસ્ટ દિવસ 29 એપ્રિલનો રહ્યો છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું  કાલે રાજકોટનું તાપમાન 44.9 ડિગ્રી રહ્યું. અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતાં આકરી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે  4 મે સુધી કાળઝાળ ગરમીની ચેતવણી આપી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હીટવેવની આગાહી છે.

 

 

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Latest Stories