MLA ચૈતર વસાવાએ છોટાઉદેપુરના તુરખેડા ગામની લીધી મુલાકાત, માર્ગના અભાવે સગર્ભાનું નિપજ્યું હતું મોત

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યાર બાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.

New Update
a

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યાર બાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તુરખેડા ગામે રોડ- રસ્તા ન હોવાના કારણે, આરોગ્યની સુવિધાન હોવાને કારણે સગર્ભાને ઝોળીમાં નાખી દવાખાને લઇ જતા હતા ત્યારે, ઈમરજન્સી સારવાર ન મળતા, મહિલા અડધે રસ્તે જ મૃત્યુ પામી હતી ત્યારે અમે ઘણા દુઃખી છે  આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હ્રુદયદ્રાવક ઘટના છે. 
આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબજ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ, એજ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધ માં વિસ્થાપિત થયા છે.
સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે. મહિલા સશક્તિકરણની વાતો કરે છે. સમાનતાની વાત થાય છે ત્યારે અગાઉ પણ આ રીતે ત્રણ લોકોનું મૃત્ય થયું છે. જે ખુબજ શરમજનક ઘટના છે ત્યારે રોડ-રસ્તાની સુવિધાઓ સરકાર આ જ વર્ષે કરી આપે એવી અમારી માંગણી રહેશે. જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલદ આંદોલનની ચીમકી ચૈતર વસાવાએ ઉચ્ચારી છે
Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.