મોદી–શાહે ગુજરાતની હાથમાં લીધી કમાન, 2 દિવસમાં 13 કાર્યક્રમોમાં આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

New Update
મોદી–શાહે ગુજરાતની હાથમાં લીધી કમાન, 2 દિવસમાં 13 કાર્યક્રમોમાં આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અને વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતો વધી રહી છે. માત્ર એટલું જ નહીં, અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતમાં 13 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં 26મીએ કુલ 6 જેટલા જ્યારે 27મીએ 7 કાર્યક્રમો છે. ત્યાર બાદ PM મોદી 29 અને 30મીએ ગુજરાતના પ્રવાસે આવશે અને 7 જેટલા કાર્યક્રમોમાં સામેલ થશે. 26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્ર વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે.સવાર 9 વાગ્યે આ કાર્યક્રમમાં સામેલ થશે. ત્યાર બાદ બપોરે એક વાગ્યે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે. તેમજ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ તેમજ 2140 EWS આવાસો અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરશે. 27 સપ્ટેમ્બરે ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની 150 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.જ્યારે બીજા નોરતે બપોરે 12 વાગ્યે રૂપાલ વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વારા ખૂલવા પ્રસંગે હાજર રહેશે અને માતાજીનાં દર્શન કરશે. તેમના વતન એવા માણસામાં સાંજે 7.30 કલાકે બહુચરાજી માતાજીનાં દર્શન અને આરતી કરશે.

અમિત શાહના ગુજરાત પ્રવાસના બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે અમદાવાદ અને સુરતની મુલાકાત લેશે. અમદાવાદમાં તેઓ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. જ્યારે સુરતમાં રૂ.3472.54 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં પાણી પુરવઠાનાં રૂ.672 કરોડનાં કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ સિટીનાં કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ, BRTS ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 29મી સપ્ટેમ્બરે ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ સીએનજી પોર્ટ 4 હજાર 24 કરોડના રોકાણ સાથે ક્લીન એનર્જીથી ઊર્જાની માંગને પહોંચી વળશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરશે,જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. પ્રધાનમંત્રી એપીપીએલનું પણ ઉદ્ઘાટન કરશે. ખારીકટ ફતેહવાડી કેનાલના પિયત ક્ષેત્રનો સરદાર સરોવર યોજનામાં સમાવેશ કરવા પર યોજાનારા આભાર કાર્યક્રમમાં પણ હાજરી આપશે. PM મોદી 30મી સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે.આ ઉપરાંત અમદાવાદ મેટ્રોના ફેઝ 1નું ઉદ્ઘાટન પણ કરશે. ત્યાર બાદ મા અંબાનાં દર્શન કરવા અંબાજી જશે. વિકાસકાર્યોના લોકાર્પણ બાદ ગબ્બરની મહાઆરતીમાં ભાગ લેશે.

Latest Stories