ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

New Update
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર

  • ડેમમાં 53 ટકાથી વધુનો પાણી ઉપલબ્ધ

  • 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ

  • રાજ્યમાં પાણીની અછત નહી સર્જાય તેવો દાવો

  • નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે 

ગુજરાતમાં ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છેજ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કેતારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81  ટકા જળ સંગ્રહ હતો. તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહદક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકાસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી  બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.

Read the Next Article

ગુજરાત કોંગ્રેસે 40 જિલ્લાઓમાં નવા પ્રમુખોની જાહેરાત કરી, યાદી અહીં જુઓ કોને ક્યાંથી મળી જવાબદારી

ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રમુખોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, પરંતુ એક અંદાજ મુજબ, લગભગ 50 ટકા આવા નામ છે. પ્રથમ વખત જિલ્લા/શહેર પ્રમુખની જવાબદારી મળી છે

author-image
By Connect Gujarat Desk
New Update
inc gujarat

કોંગ્રેસ પાર્ટીએ હવે ગુજરાતમાં તેના સંગઠનમાં ફેરફાર શરૂ કર્યો છે. સંગઠન નિર્માણ અભિયાનની કવાયત પછી, રાજ્યના નવા જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ સોનલ પટેલને અમદાવાદ શહેર પ્રમુખ બનાવ્યા છે, જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં જૂના પ્રમુખોને જાળવી રાખવામાં આવ્યા છે. એકંદરે, પાર્ટીએ 40 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કર્યા છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રમુખોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, પરંતુ એક અંદાજ મુજબ, લગભગ 50 ટકા આવા નામ છે. પ્રથમ વખત જિલ્લા/શહેર પ્રમુખની જવાબદારી મળી છે. સ્પષ્ટ છે કે પાર્ટી હવે જૂના અને નવા બંને કાર્યકરોને સાથે લેવાનો પ્રયાસ કરી રહી છે.

inc gujarat

કોંગ્રેસ આગામી થોડા દિવસોમાં આ અભિયાન હેઠળ અન્ય રાજ્યોમાં પણ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરશે. આ અભિયાનમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને પ્રદેશ કોંગ્રેસ કમિટી (PCC) ના નિરીક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

કોને ક્યાંથી જવાબદારી મળી?

અમરેલી જીલ્લામાં પ્રતાપ દુધાત

આણંદમાં અલ્પેશ પઢિયાર

અરવલ્લીમાં અરનુભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લામાં ગુલાબસિંહ રાજપૂત

ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણા

પ્રવીણ રાઠોડ ભાવનગર ગ્રામ્યમાં

મનોહરસિંહ (લાલાભા) ભાવનગર શહેરમાં

બોટાદમાં હિંમતસિંહ કટારીયા

છોટાઉદેપુરમાં શશીકાંત રાઠવા

દાહોદમાં હર્ષભાઈ નિનામા

ડાંગમાં સ્નેહિલ ઠાકર

દેવભૂમિ દ્વારકામાં પાલભાઈ આંબલીયા

ગાંધીનગરમાં અરવિંદસિંહ સોલંકી

ગાંધીનગર શહેરમાં શક્તિ પટેલ

રાજકોટ શહેરમાં ડો.રાજદીપસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્યમાં હિતેશ વ્હોરા, સાબરકાંઠામાં રામભાઈ સોલંકી, સુરત ગ્રામ્યમાં આનંદ ચૌધરી, સુરત શહેરમાં વિપુલભાઈ ઉધનાવાલા, સુરેન્દ્રનગરમાં નૌશાદ સોલંકી, તાપીમાં વૈભવકુમાર ગામીત, વડોદરા શહેરમાં જસપાલસિંહ પઢિયાર અને વડોદરા શહેરમાં વલસાડમાં ડો. કિશનભાઈ પટેલને પ્રમુખ બનાવાયા છે.

ગીર સોમનાથમાં પુંજાભાઈ વંશ, જામનગર શહેરમાં વિરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે દિગ્ગુભાઈ, જામનગર ગ્રામ્યમાં મનોજ કથીરિયા, જૂનાગઢ શહેરમાં મનોજ જોષી, ખેડામાં કાલુસિંહ ડાભી, કચ્છમાં વી.કે.હુંબલ, મહીસાગરમાં હર્ષદ પટેલ, મહેસાણામાં બળદેવજી ઠાકોર, મોરબીમાં રણજીતસિંહ જાડેજા, તા.પં. નર્મદા, નવસારીમાં શૈલેષભાઈ પટેલ, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, પાટણમાં ઘેમરભાઈ પટેલ, પોરબંદરમાં રામભાઈ મારૂને પક્ષ પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખે ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (ડીસીસી) પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂંકો સંગઠન સૃજન અભિયાન હેઠળ સઘન સંગઠનાત્મક કવાયતનું પરિણામ છે. બૂથથી જિલ્લા સ્તર સુધી પક્ષના માળખાને પુનર્જીવિત કરવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ પારદર્શક, સમાવેશી અને વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર કેન્દ્રિત હતી.