કચ્છ : મુંબઇ અને ભુજ વચ્ચે વિમાની સેવા અનિયમિત, વડાપ્રધાન કાર્યાલયને કરાય ફરિયાદ

ભુજ અને મુંબઇ વચ્ચે માત્ર એક ફલાઇટનું સંચાલન, અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થવાની પડતી ફરજ.

New Update
કચ્છ : મુંબઇ અને ભુજ વચ્ચે વિમાની સેવા અનિયમિત, વડાપ્રધાન કાર્યાલયને કરાય ફરિયાદ

રાજયના સૌથી મોટા જિલ્લા કચ્છમાં હવાઇ સેવાના ધાંધિયાથી મુંબઇ તેમજ અન્ય શહેરોમાં જવા માટે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. આ બાબતે કોંગ્રેસના અગ્રણીએ વડાપ્રધાન સહિત સંલગ્ન વિભાગોમાં પત્ર લખી ફરિયાદ કરી છે.

કોરોનાની મહામારીની સૌથી વધારે અસર ઉડ્ડયન ક્ષેત્રમાં જોવા મળી રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ બંધ કરવામાં આવી છે. કોરોનાનો વાવર હવે ઓછો થયો છે ત્યારે અમુક ફલાઇટોના સંચાલન માટે છુટછાટ આપવામાં આવી છે. વિમાની સેવા શરૂ થઇ ચુકી છે પણ કચ્છમાં વિમાની સેવાના ધાંધિયા હોવાની ફરિયાદ ઉઠી છે.

અમદાવાદ એરપોર્ટ સુધી લાંબા થવાની પડતી ફરજકચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો ભુજ એરપોર્ટ પરથી વિમાની સેવા મર્યાદિત હોવાથી મુસાફરોને વધારે ભાડા ચુકવવાની ફરજ પડી રહી છે. હાલ મુંબઇ અને ભુજ વચ્ચે દિવસમાં માત્ર એક જ ફલાઇટનું સંચાલન કરવામાં આવી રહયું છે. પશ્ચિમ કચ્છમાં મોટાભાગના ગામોના લોકો મુંબઇ તથા વિદેશોમાં સ્થાયી થયેલાં છે. ભુજથી મુંબઇ વચ્ચેની વિમાની સેવા અવારનવાર ચાલુ બંધ થતી હોવાથી પ્રવાસીઓને મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સુધી ટ્રેન અથવા બસ માર્ગે આવવું પડે છે જેને લઈને સમય પણ વેડફાય છે. ભુજ એરપોર્ટ ખાતે વિમાની સેવાઓ વધારવા તથા સેવાઓ નિયમિત કરવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અરજણ ભુડિયાએ વડાપ્રધાન તથા અન્ય સંલગ્ન વિભાગોમાં રજુઆત કરી છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.