Connect Gujarat
ગુજરાત

નર્મદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર જનસંપર્ક અભિગમ, બાળકો સાથે કર્યો સંવાદ

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ આદિજાતિ ક્ષેત્રની મુલાકાતે છે. આ સંદર્ભે બુધવારે રાત્રે મુખ્યમંત્રી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં બાળકો સાથે સંવાદ સાધી તેમની અભ્યાસકીય મૂંઝવણો અને શૈક્ષણિક પ્રગતિની વિગતો મેળવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. તેઓએ રાત્રિ ગ્રામ સભા યોજ્યા બાદ શાળાના બાળકો સાથે ગોષ્ઠિ કરી હતી.સી.એમ.ભુપેન્દ્ર પટેલે આ સંવાદમાં બાળકોને સતત શીખતાં રહેવા, જિજ્ઞાસાવૃત્તિ કેળવવા અને આજ્ઞાંકિત બનવાની શીખ આપી હતી.

Next Story