નર્મદા : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારાથી પાંચ દરવાજા ખોલાયા,નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.

New Update
  • સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

  • ઉપરવાસમાંથી પાણીની આવક થતા જળસપાટી વધી

  • સીઝનમાં પ્રથમ વખત ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા

  • નર્મદા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

  • નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે.જેના કારણે સીઝનમાં પ્રથમ વખત ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.અને 50000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.જેના પગલે તેને 'વોર્નિંગ સ્ટેજપર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આજે સીઝનમાં પહેલીવાર પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે.હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની પ્રચંડ આવકને કારણે ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેનર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરાભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં જ ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યુસેક પાણીની આવક થઈ રહી છેજેની સામે નર્મદા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથીનર્મદા ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

Latest Stories