નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે

New Update
નર્મદા:PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, એક્તા પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે સરદાર જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા એકતા નગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરદાર સાહેબની પ્રતીમાને પુષ્પાંજલિ આપી હતી અને એકતા પરેડનું નીરિક્ષણ કર્યું હતું. બાદમાં ઉપસ્થિત મેદનીને સંબોધન કરતાં વડાપ્રધાને વર્તમાન ભારતને સરદાર પટેલનાં સપનાંનું ભારત ગણાવીને કહ્યું હતું કે, દેશની જનતાએ તુષ્ટિકરણની રાજનીતિથી બચવાનું છે, કારણ કે આ વિચારધારા ખતરનાક છે.

તેમણે ચંદ્રયાનથી લઈ ઓલિમ્પિક સુધી ભારતની યશગાથાનું વર્ણન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનારાં 25 વર્ષને ભારતનો નવો અમૃતકાળ ગણાવ્યો હતો તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે દેશમાં ચૂંટણીનો માહોલ છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. એક જૂથ એવું છે જેને સકારાત્મક રાજનીતિ કરવી નથી. આ જૂથ પોતાના સ્વાર્થ માટે દેશની એકતા તોડી શકે છે. આ પડકારો વચ્ચે તમારી, મારા દેશવાસીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે. આ લોકો પોતે એકજૂટ થઈને દેશની તાકાત તોડવા માગે છે. 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.