નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો પત્ર,પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો કર્યો આક્ષેપ

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો આક્ષેપ કર્યો છે.

New Update
  • સાંસદ મનસુખ વસાવા પોલીસ પર થયા ગુસ્સે

  • પોલીસ અધિકારી પ્રજાને રંજાડતા હોવાના કર્યા આક્ષેપ

  • ભરૂચ નર્મદા પોલીસ તંત્ર સામે વ્યક્ત કરી નારાજગી

  • CM અને ગૃહમંત્રીને લખ્યો તીખો પત્ર

  • પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી માંગ

Advertisment

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે.જેમાં તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ અને નર્મદા જિલ્લા પોલીસ ખોટી રીતે પ્રજાને હેરાન કરે છે,તે બાબતનો ઉલ્લેખ કરીને પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.અને પત્રમાં તીખા શબ્દોમાં લખ્યું છે કે પોલીસ બુટલેગરોને છાવરી રહી છે,જ્યારે નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવા અને તેમના પત્ની સુધા વસાવાને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હોવાનું રોષપૂર્વક જણાવ્યું છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભાવના વસાવાના ઘરમાં ઘુસીને બે મહિના પહેલા પોલીસ અધિકારી દ્વારા તોડફોડ કરી હતી અને પોલીસે તેઓ દારૂનો ધંધો કરો છો તેવા આક્ષેપ કર્યા હોવાનો ઉલ્લેખ પણ સાંસદ મનસુખ વસાવાએ પોતાના પત્રમાં કર્યો છે.

આ સમગ્ર બાબત અંગે સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં બંને જિલ્લાના પોલીસ અધિકારી પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

 

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment