નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી

કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

New Update
નર્મદા : ધરતી પરના ઝેરી વાતવરણના કારણે જ નાની ઉંમરે થઈ રહ્યા છે લોકોના મોત : રાજ્યમંત્રી

પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ' કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

રાજપીપળા શહેરના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે "કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ"ના કાર્યક્રમમાં હાજર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારત દેશે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે. પરંતુ આજે રાજ્યમાં વાયુ, પાણી કે, ધરતી પર ચારેય તરફ ઝેરી વાતાવરણ ઊભું થયું છે. જે આજથી 400 વર્ષ પહેલા ન હતું. પરંતુ પાણીમાં પણ હાલ કેમીકલ ભળી ગયું છે. ધરતીમાં કેમિકલ અને રાસાયણિક ખાતરના કારણે પણ જે ખેતરોમાં અનાજ પાકે છે, જેને ખાવાથી મનુષ્યમાં રોગ થવા માંડ્યા છે. અને તેના જ કારણે નાની ઉંમરમાં જ લોકોના મોત થઇ રહ્યા છે. વ્યક્તિ લાંબા ગાળે ગંભીર રોગનો ભોગ બને છે, જેને અટકાવવું અત્યંત જરૂરી બન્યું છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment
Latest Stories