નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ખોટી પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

નર્મદા  જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી.

New Update

નર્મદા  જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી. જે પોસ્ટને SOUના તંત્રએ રદિયો આપ્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર પોસ્ટ કરવામાં આવી હતી.જેમાં @RaGa4India નામના એકાઉન્ટ પરથી તારીખ 08/09/2024ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરૂ હો ગઈ હૈ નો દાવો કરાયો હતો.જે અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે SOU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે SOUના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ,લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અને સોશિયલ મીડિયા યુઝર્સ સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.