નર્મદા : સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારા સાથે મનમોહક દ્રશ્યો સર્જાયા, પ્રવાસીઓની સંખ્યામાં વધારો

નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો

નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો

નવા નીરની આવકથી નર્મદા નદી છલોછલ છલકાતી થઈ

ઘેરા વાદળો વચ્ચે નર્મદા ડેમ ખાતે મનમોહક દ્રશ્યો સર્જાયા

આહ્લાદક અને મનમોહક દ્રશ્યો નિહાળવા પ્રવાસીઓનો ધસારો

નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. તો બીજી તરફપાવન સલીલા માઁ નર્મદા નવા નીરથી છલોછલ અને છલકાતી હોય અને ઘેરા વાદળો વચ્ચે મનમોહક દ્રશ્યો નિહાળવા પ્રવાસીઓ આકર્ષાય રહ્યા છે.

ઉપરવાસમાંથી 2,39,358 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. જેના કારણે વહેલી સવારે 6 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યાઅને બાદમાં પાણી આવક વધતાં બીજા 9 ગેટ ખોલવામાં આવ્યા છેઅને હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોય જેથી વધુ 3થી 4 ગેટ ખોલવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3.5 મીટર વધી છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 134.80 મીટર પર પહોંચી ગઈ હતી. જોકેઆ પાણીની આવક પ્રમાણે ગેટ વધારવા-ઘટાડવા નર્મદા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફરિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છેજ્યારે દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યોઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો સર્જાયા છે. જેને જોવા પ્રવાસીઓ આકર્ષાય છે.

એક બાજુ નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.