નવસારી: ચીખલીની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર,સારવાર માટે ખસેડાય

ચીખલીના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફૂડ પોઇઝિંગની અસર વર્તાઈ હતી.

New Update
નવસારી: ચીખલીની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર,સારવાર માટે ખસેડાય

નવસારીના ચીખલીના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફૂડ પોઇઝિંગની અસર વર્તાઈ હતી.

Advertisment

નવસારીના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેતી ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓને સોમવારે બપોરે ખીચડી અને ચણાની દાળ ભોજનમાં લીધું હતું.જે બાદ રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમને ઉબકા ઉલ્ટીની અસર વર્તાઈ હતી.જેની જાણ ગામના માજી સરપંચ અને ગામલોકોને થતાં તમામ ૫૦ વિધાર્થિનીઓને નજીકના ટાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાઈ હતી.જ્યાં ૧૮ જેટલી વિદ્યાર્થીનીઓને ફુડ પોઇઝનિંગની વધુ અસર લાગતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.આ અંગેની જાણ તંત્રને થતા ચીખલીના પ્રાંત અધિકારી અમિત ચૌધરી,મામલતદાર રોશની પટેલ,ટીડીઓ ચેતન દેસાઈ સહિત તબીબોની ટીમ સ્થળ ઉપર ધસી આવી હતી.આ સાથેજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતેથી પાણી સહિતના સેમ્પ્લ પણ લેવામાં આવ્યા હતા.

Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment
Latest Stories