નવસારી: લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત,PM મોદીએ રૂ.2-2 લાખ સહાયની કરી જાહેરાત

નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા.

New Update
નવસારી: લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત,PM મોદીએ રૂ.2-2 લાખ સહાયની કરી જાહેરાત

નવસારી નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકો પૈકી કુલ નવ લોકોના મોત નીપજયાં હતા. ગોઝારા અકસ્માત અંગે પી.એમ.નરેન્દ્ર મોદીએ દૂ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂપિયા 2-2 લાખ સહાયની જાહેરાત કરી છે

Advertisment W3.CSS

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતનો ગોઝારો બનાવ બન્યો હતો જેમાં વલસાડથી ભરૂચ તરફ જતી કારના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે ભટકાય હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 29 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા તો સાથે જ બસમાં સવાર ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. અકસ્માત અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કરી દુ:ખ વ્યકત કર્યું હતું. ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હતા અને કંપની બે દિવસથી બંધ હોવાના કારણે તમામ લોકો રજા પર હતા એ દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં
Latest Stories