નવસારી : વાંસદામાં પેટના દુખાવાની વિધિ કરાવવા ગયેલા યુવકે ભગતની પથ્થર મારીને હત્યા કરી નાખતા ચકચાર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.

New Update
  • વાઘબારીમાં ચોંકાવનારી બની ઘટના

  • પેટના દુખાવાની વિધિ દરમિયાન ભગતની હત્યા

  • યુવકને પેટનો દુખાવો ઉપડતા ભગત કરતા હતા વિધિ

  • યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો

  • પોલીસે હત્યારા યુવકની કરી ધરપકડ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિ દરમિયાન યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગત પાસે પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી હતી આ ઘટના વાંસદા વિસ્તારમાં બની હતી.વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં પેટના દુખાવાની વિધિ દરમિયાન થયેલી હત્યાની ઘટના સામે આવી છે. ધીરુ વિઠ્ઠલભાઈ પટેલને પેટમાં દુખાવો રહેતો હતો. તેમણે ગામમાં રહેતા ભગત ઝીણાભાઈ પટેલ પાસે ઉપચાર માટે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું.

ગીતામણી નદી પાસે રાત્રે વિધિની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ દરમિયાન ભગતે ધીરુની પીઠ પર જોરથી ધબ્બો માર્યો હતો. આ બાબતે ધીરુએ વાંધો ઉઠાવ્યો હતો.અને ભગતે જણાવ્યું કે આ વિધિનો ભાગ છે.

આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈજે મારામારીમાં પરિણમી હતી. ઉશ્કેરાયેલા ધીરુએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ધીરુને ઝડપી લીધો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

અમરેલી : ધોબા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના SDRF’ની ટીમે રેસક્યું કર્યા...

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

New Update
  • ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકાર સજ્જ

  • રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં તંત્રની કામગીરી

  • કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોચી વળવા તંત્ર કટિબદ્ધ

  • સાવરકુંડલામાં SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી

  • પાણીમાં ફસાયેલા અનેક લોકોના રેસક્યું ઓપરેશન કરાયા

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતોત્યારે અમરેલી જીલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છેજ્યારે વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 10 ઇંચ જેટલા વરસાદના પગલે પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતાત્યારે SDRFની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી.

હજુ પણ અમરેલી રેડઝોનમાં આવતું હોયજેને લઈને આસપાસમાં રાજુલાજાફરાબાદ અને દરિયાઈ કાંઠા વિસ્તારો હોવાથી SDRFની એક 24 જવાનોની ટીમને પીએસઆઈ અધિકારી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવા SDRF સક્ષમ સાબિત થતી હોય છેત્યારે રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટહેવી લાઇટકટર મશીનો સહિતની આધુનિક સાધન સામગ્રી સાથે SDRFની ટીમ અમરેલી જિલ્લાના મધ્યબિંદુ સાવરકુંડલામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.