-
બીલીમોરા પાલિકાની ઉદાસીનતા
-
જોખમરૂપ જર્જરિત ઇમારતોથી ભય
-
પાલિકાની ઇમારતો પણ જોખમરૂપ
-
પાલિકા નોટિસ ફટકારી માણે છે સંતોષ
-
નક્કર કામગીરી કરવા માટે ઉઠી માંગ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં નગરપાલિકાની ગંભીર ઉદાસીનતા જોવા મળી રહી છે,જોખમી ઇમરાતોના માલિકોને નોટિસ ફટકાર્યા બાદ કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા લોકોના જીવ સામે જોખમ ઉભું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની મોસમ પહેલા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે જોખમી ઇમારતોને શોધી અને નોટિસ આપવાની કામગીરી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા શહેરમાં પણ નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે.અને નગરપાલિકા દ્વારા કુલ 14 થી વધુ ઇમારતોને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે. દર વર્ષે નોટિસ આપવા છતાં પણ જર્જરિત ઇમારતોનો ભાગ પડવાના બનાવો સામે આવ્યા છે,પરંતુ એ દિશામાં કોઇ પણ નક્કર કામગીરી કરવામાં આવતી નહોવાના આક્ષેપ નગરપાલકિના અપક્ષ સભ્ય મલંગ કોલીયા દ્વારા કરવામાં આવ્યા છે.
બીલીમોરા નગરપાલિકામાં જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે,પણ બીજી તરફ નગરપાલિકાની મિલકતો પણ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. જ્યાં મોટી સંખ્યામાં વ્યાપારીઓ જીવના જોખમે વ્યાપાર કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. બીલીમોરા શહેરમાં આવેલી શાળાનો ભાગ પણ જર્જરિત થતા તેને પણ ઉતારવા માટેની કોઈ કામગીરી કરવામાં આવી નથી.ત્યારે જો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ એ યક્ષ પ્રશ્ન પણ લોક મોઢે ઉઠવા પામ્યો છે.