નવસારી : બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ, વોટિંગ મશીન બદલવાની માંગ કરાઈ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.જોકે એક મતદાન મથક પર ઈવીએમ મશીન ક્ષતિ સર્જાઇ હોવાના આક્ષેપ કોંગી ઉમેદવારે કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • બીલીમોરા ન.પાની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં ક્ષતિ

  • વોર્ડ નં.2ના બુથ નં.5માં ઇવીએમમાં ક્ષતિનોઆક્ષેપ

  • કોંગી ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ન દબાતા કર્યો હોબાળો

  • કોંગી ઉમેદવારે ઇવીએમ મશીનમાં ગરબડી હોવાના કર્યા આક્ષેપ

  • ઇવીએમ મશીન બદલવાની કરવામાં આવી રહી છે માંગ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંઆવેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.જોકે એક મતદાન મથક પર ઈવીએમ મશીન ક્ષતિ સર્જાઇ હોવાના આક્ષેપ કોંગી ઉમેદવારેકરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ બીલીમોરા નગરપાલિકા નીચૂંટણીમાં કુલવોર્ડની33 બેઠકોમાટે મતદાન થઈ રહ્યું છેજેમાં ભાજપનીબેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ45 મતદાનબુથ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનકાર્યરત કરવામાં આવ્યા છે. સુરક્ષાનીદ્રષ્ટિએબુથનેસંવેદનશીલ અને ઓરીયામોરા બુથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

રક્ષાવ્યવસ્થા માટે1 DYSP, PI, PSI સહિત237 પોલીસ કર્મચારીઓ અને100 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાંઆવ્યો છે.મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે270 વહીવટીઅધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

જોકે બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર2માં બુથ નંબર5માંમતદાન અટક્યું હતું,કોંગ્રેસનાઉમેદવાર રામબાબુ શુકલાનું ઇવીએમમાં બટન દબાતુંહોવાના આક્ષેપ સાથે મતદાન મથક પર હોબાળો થયો હતો,અને તાત્કાલિકઈવીએમ મશીન બદલવાની માંગ કરવામાં આવી હતી. ઈવીએમ મશીન ખોટકાતા મતદારો મુંઝવણમાં મુકાય ગયા હતા.

Read the Next Article

સુરેન્દ્રનગર : આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવાકાર્ય,દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ

વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..

New Update
  • આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ ભાઈ બહેનોને આપે છે તાલીમ

  • રાખડી,દીવડા સહિતની વસ્તુઓ બનાવે છે

  • દિવ્યાંગ ભાઈ બહેનોને મળી રહે છે રોજગારી

  • આર્થિક રીતે પગભર બને તેવો ટ્રસ્ટનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણની ભાવના સાથે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલમાં આ ભાઈ બહેનો રાખડી અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે.સાથે રાખડીનું કાચુ મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે.જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે  બનાવી તે  માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે.

રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે.રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને  અંદાજીત 7 હજાર જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ  કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.