નવસારી : બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ, વોટિંગ મશીન બદલવાની માંગ કરાઈ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.જોકે એક મતદાન મથક પર ઈવીએમ મશીન ક્ષતિ સર્જાઇ હોવાના આક્ષેપ કોંગી ઉમેદવારે કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • બીલીમોરા ન.પાની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં ક્ષતિ 

  • વોર્ડ નં.2ના બુથ નં.5માં ઇવીએમમાં ક્ષતિનો આક્ષેપ 

  • કોંગી ઉમેદવાર રામબાબુ શુક્લાનું બટન ન દબાતા કર્યો હોબાળો

  • કોંગી ઉમેદવારે ઇવીએમ મશીનમાં ગરબડી હોવાના કર્યા આક્ષેપ

  • ઇવીએમ મશીન બદલવાની કરવામાં આવી રહી છે માંગ

Advertisment

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.જોકે એક મતદાન મથક પર ઈવીએમ મશીન ક્ષતિ સર્જાઇ હોવાના આક્ષેપ કોંગી ઉમેદવારે કરતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ બીલીમોરા નગરપાલિકા ની ચૂંટણીમાં કુલ વોર્ડની 33 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છેજેમાં ભાજપની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 45 મતદાન બુથ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ બુથને સંવેદનશીલ અને ઓરીયામોરા બુથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

રક્ષા વ્યવસ્થા માટે 1 DYSP, PI, PSI સહિત 237 પોલીસ કર્મચારીઓ અને 100 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે 270 વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. 

જોકે બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં બુથ નંબર 5માં મતદાન અટક્યું હતું,કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુકલાનું ઇવીએમમાં બટન દબાતું  હોવાના આક્ષેપ સાથે મતદાન મથક પર હોબાળો થયો હતો,અને તાત્કાલિક ઈવીએમ મશીન બદલવાની માંગ કરવામાં આવી હતી. ઈવીએમ મશીન ખોટકાતા મતદારો મુંઝવણમાં મુકાય ગયા હતા.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment