નવસારી: ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  

New Update

નવસારી જૈન સમાજમાં શોકનો માહોલ 

ગચ્છાધિપતિ મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા 

ત્રણ મહિનાથી આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા 

સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  
નવસારીના શાંતાદેવી રોડના શ્રી આદિનાથ જૈનસંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ તારીખ 27મીએ શુક્રવારે સાંજે પુષ્ય નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા છે. શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ 91 વર્ષના હતા.તેઓ ત્રણ મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા.તેઓને ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા. જ્યાંથી તેમને ગુરૂવારના રોજ રજા આપવામાં આવતા જૈન સંઘમાં જ હતા તે વખતે કાળધર્મ પામ્યા છે. તેમના દુખદ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે.શનિવારના રોજ બપોર બાદ તેમની પાલખીયાત્રા નીકળશે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય કાળધર્મ  થતા દુઃખ વ્યક્ત કર્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.