નવસારી: ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  

New Update

નવસારી જૈન સમાજમાં શોકનો માહોલ 

ગચ્છાધિપતિ મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા 

ત્રણ મહિનાથી આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા 

સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 

નવસારીનાં આદિનાથ જૈનસંઘમાં ત્રણ માસથી ચાતુર્માસ નિમિતે બિરાજેલા 92 વર્ષીય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  
 
નવસારીના શાંતાદેવી રોડના શ્રી આદિનાથ જૈનસંઘમાં બિરાજમાન વર્તમાન ગચ્છાધિપતિ પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ તારીખ 27મીએ શુક્રવારે સાંજે પુષ્ય નક્ષત્રમાં સમાધિપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરતાં કાળધર્મ પામ્યા છે. શ્રીમદ્ વિજય હેમપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબ 91 વર્ષના હતા.તેઓ ત્રણ મહિનાથી નવસારીના આદિનાથ જૈન સંઘમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજમાન હતા.તેઓને ઇન્ફેક્શનની બીમારી લાગુ પડતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ઓક્સિજન પર હતા. જ્યાંથી તેમને ગુરૂવારના રોજ રજા આપવામાં આવતા જૈન સંઘમાં જ હતા તે વખતે કાળધર્મ પામ્યા છે. તેમના દુખદ સમાચારથી જૈન સમાજમાં શોક વ્યાપી ગયો છે.શનિવારના રોજ બપોર બાદ તેમની પાલખીયાત્રા નીકળશે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને ગચ્છાધિપતિ આચાર્ય કાળધર્મ  થતા દુઃખ વ્યક્ત કર્યું હતું.
Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.