નવસારી : મહારાષ્ટ્રથી ચોરી કરવા આવેલી તસ્કર ટોળકીનો પર્દાફાશ, બીલીમોરાના બ્યુટી પાર્લરમાંથી કરી હતી ચોરી..!

આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા...

New Update
  • ગણદેવી-બીલીમોરાના બ્યુટી પાર્લરમાંથી થઈ હતી ચોરી

  • બ્યુટી પાર્લરમાંથી ચોરીની ઘટનાCCTVમાં થઈ હતી કેદ

  • રૂ. 1 લાખના મુદામાલ સાથે ટોળકીના 2 સભ્યોની ધરપકડ

  • મહારાષ્ટ્રથી આવી ભીડભાડવાળી જગ્યાએ કરતાં હતા ચોરી

  • તસ્કર ટોળકીના અન્ય સભ્યોની ધરપકડના ચક્રો ગતિમાન

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના બ્યુટી પાર્લરમાંથી થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રૂ. 1 લાખના મુદામાલ સાથે તસ્કર ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરના બ્યુટી પાર્લરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. બીલીમોરાના બીલી નાકા વિસ્તારમાં આવેલ બ્યુટી પાર્લરમાંથી નજર ચૂકવી અજાણી મહિલાઓએ દાગીના ભરેલા બેગની ચોરી કરી હતી. જે સમગ્ર ઘટનાCCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સમગ્ર મામલે નવસારીLCB પોલીસે ફરિયાદ અનેCCTV ફૂટેજના આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના રહેવાસી એક મહિલા અને વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ મળી આવી છે. આ ટોળકી મહારાષ્ટ્રથી ગાડીમાં આવી ભીડભાડવાળી જગ્યાએ લોકોની નજર ચૂકવી ચોરી કરતા હતા.

એટલું જ નહીંએક જ પરિવારના 5 સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છેત્યારે હાલ તો નવસારીLCB પોલીસે રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તસ્કર ટોળકીના અન્ય 3 ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા

New Update

ઘોઘંબામાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ

નવનિયુક્ત હોદ્દેદારોની કરાઈ વરણી

અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી

રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં આવી નથી.

તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને  રાજીનામુ આપે તેવી માંગ પણ તેઓએ કરી હતી.