નવસારી : દેવધા ડેમમાં નવા નીરના સંગ્રહ માટે જૂના પાણીના નિકાલની વ્યવસ્થા, 40 પૈકી 20 દરવાજા ખોલાયા

ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુ જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પુરા વર્ષ દરમ્યાન ભરપૂર પાણી નો સંગ્રહ થયો હતો

New Update
નવસારી : દેવધા ડેમમાં નવા નીરના સંગ્રહ માટે જૂના પાણીના નિકાલની વ્યવસ્થા, 40 પૈકી 20 દરવાજા ખોલાયા

ગત ચોમાસુ મન મુકીને વરસ્યું હતુ જેના ફળ સ્વરૂપે નદી નાળા અને ડેમો છલકાયા હતા અને પુરા વર્ષ દરમ્યાન ભરપૂર પાણી નો સંગ્રહ થયો હતો, ત્યારે નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલ જૂનું પાણી માટે ડેમના દરવાજા નવસારી જિલ્લાના તંત્રએ 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલવાનો નિર્ણય લીધો હતો.

નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે ખુશહાલી લાવ્યો હતો. જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો. તમામ પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાતા નવસારીમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગી ન આવે તે માટે કેલીયા ,જૂજ અને દેવધા ડેમ બનાવવામાં આવ્યા છે. જેમાં પાણી હજી પણ ઘણું ચાલી શકે એમ છે પણ નવું વરસાદનું પાણીની આવક વધે એ પેહલા જૂનું પાણી ન નિકાલની વ્યવસ્થાઓના ભાગરૂપે ગણદેવીના દેવધા ડેમના દરવાજાઓ ખોલી દેવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દીધા છે. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના કાંઠે આવેલા ૧૧ જેટલા ગામોને વહીવટીતંત્ર એલર્ટ કરી દીધા છે. જિલ્લાની બે નગરપાલિકા ઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે. ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ તંત્ર પાણીની આવક એકાએક વધી ન જાય તેની સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.