નવસારી : વિવાન્તા ગ્રુપ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં યુવાઓ, મહિલાઓ સહિત નામી તબીબોએ ભાગ લીધો...
શહેરમાં વિવાન્તા ગ્રુપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 200થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.
BY Connect Gujarat Desk29 Jan 2024 11:04 AM GMT
X
Connect Gujarat Desk29 Jan 2024 11:04 AM GMT
નવસારી શહેરમાં વિવાન્તા ગ્રુપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 200થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.
નવસારીમાં એસ.બી.ડેવલપમેન્ટ્સ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. શહેરના નામાંકિત બિલ્ડર એવા સંજય પટેલ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દોડ સ્વાસ્થ્ય માટેના હેતુસર મેરેથોન દોડ યોજાય હતી. જેમાં યુવાનો મહિલાઓની સાથે શહેરના નામી તબીબોએ પણ દોડમાં ભાગ લીધો હતો. આ સાથે જ લોકોએ પોતાને સ્વાસ્થ્ય રાખવાનો સંદેશો આપ્યો હતો. મેરેથોન દોડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર દોડવીરને વિજેતા ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ અન્ય દોડવીરોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
Next Story