નવસારી: પાણીખડકમાં ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી, ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ 1.50 રૂપિયો સસ્તું અપાયું

પાણીખડક ગામે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી, કેક કાપી પેટ્રોલ પંપ માલિકની ગ્રાહકો સાથે ઉજવણી

New Update
નવસારી: પાણીખડકમાં ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી, ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ 1.50 રૂપિયો સસ્તું અપાયું

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં પેટ્રોલ પંપના માલિકે પેટ્રોલ પંપ ખાતે આવતા તમામ ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ દોઢ રૂપિયો સસ્તું આપી ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

આદિવાસી વિસ્તાર એવા નવસારીના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે પેટ્રોલ પંપના માલિકે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરી હતી. એટલું જ નહીં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા નીરજ ઓટોમોબાઇલ્સના સંચાલક ગુણવંત પટેલે આજના દિવસ માટે ખાસ ગ્રાહકોને 1.50 રૂપિયો પેટ્રોલ-ડીઝલ સસ્તું આપવાનો નિર્ણય લીધો હતો. જોકે, સમગ્ર દિવસ દરમ્યાન આદિવાસી વિસ્તારના હજારો લોકોએ આ સેવાનો ભરપુર લાભ લીધો હતો. સાથે જ અહીં વખતો વખત આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, ત્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે લોકોને પેટ્રોલ-ડીઝલ શક્તિ પ્રમાણે સસ્તું અપાતાં મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.