ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો નવો નિયમ,પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મી સાથે રાખવા પડશે

વડોદરામાં હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે તમામ સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઇને મોટો નિર્ણય કર્યો છે.

New Update

વડોદરામાં હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે તમામ સ્કૂલો માટે પ્રવાસની નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઇને મોટો નિર્ણય કર્યો છે. હવેથી સ્કૂલ પ્રવાસ દરમિયાન યુનિફોર્મમાં સજ્જ બે પોલીસ કર્મી સાથે રાખવા પડશે. એટલું જ નહીંપ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હશેતો મહિલા પોલીસકર્મી સાથે રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડશે.

પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મી સાથે રાખવા પડશે

publive-image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DGP-IGP કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરાશે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં અન્વયે રાજ્યની તમામ (સરકારી/અર્ધ સરકારી/ખાનગી) સ્કૂલના આચાર્યોને પણ સૂચના આપવામાં આવી છે. 

જેમાં ઉલ્લેખ કર્યો છે કે હવે વિદ્યાર્થીઓ માટે આયોજિત થતી પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી 02 પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવાનું કહેવાયું છે. આ સિવાય સ્કૂલના આચાર્યે પણ ઉપરોક્ત કામગીરી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે. જો પ્રવાસ/ટુર/પિકનિક/મુલાકાતમાં વિદ્યાર્થીનીઓ હશે તો મહિલા પોલીસકર્મી પણ સાથે રાખવા પડશે.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories