અંકલેશ્વર : NH 48 પર ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ ST બસને નડ્યો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update

એસ.ટી.બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત, રોંગ સાઈડથી આવી રહેલ ટેમ્પા સાથે બસ ભટકાય, મુસાફરોનો આબાદ બચાવ

અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસટી બસ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રોંગ સાઈડથી પૂર ઝડપે આવી રહેલ ટેમ્પા સાથે બસનો અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો તેઓને બસમાંથી નીચે ઉતરી અન્ય બસમાં આગળ જવા રવાના કરવામાં આવ્યા હતા.આ તરફ અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.