/connect-gujarat/media/media_files/2025/01/24/HAxCiR2O6y1RvBk1t7Sa.jpg)
ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ - Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા સાથે બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાત્રી અને ચાર દિવસનું પેકેજ તૈયાર કરાયું છે. યાત્રાળુઓની પહેલી બસને 27મી જાન્યુઆરીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપવામાં આવશે.
શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટૂર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે,તેવું સરકાર દ્વારા જણાવાયું છે.
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી, ધ્યાન રાખીને ટિકિટ બુક કરાવવાની રહેશે. આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે.જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે.હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે.રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે, આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.