પાટણ : 30 હજાર દિવડાઓથી બીલીયા ગામ ઝળહળી ઉઠ્યું, મહિલાઓ માંડવીઓ માથે રાખી ગરબે ઘૂમી...

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામ ખાતે આસો સુદ ચૌદસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેરાઈ માતાજી મંદિરના પટાંગણમાં પરંપરાગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

સિદ્ધપુરના બીલીયા ગામમાં આસો સુદ ચૌદસની ઉજવણી

આસો સુદ ચૌદસ નિમિત્તે બીલીયાદિવડાઓથી ઝળહળ્યું

બીલીયા ગામમાંથી 225 માંડવીઓ ગરબામાં જોડાય

મહિલાઓ માંડવીઓ માથે રાખી ગરબે ઘૂમતા અલભ્ય દ્રશ્ય

મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું બીલીયા ગામ આસો સુદ ચૌદસની રાત્રેદિવડાઓથી ઝળહળી ઉઠ્યું હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામ ખાતે આસો સુદ ચૌદસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેરાઈ માતાજી મંદિરના પટાંગણમાં પરંપરાગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બીલીયા ગામમાંથી 225 માંડવીઓ ગરબામાં જોડાય હતી. અંદાજિત 30 હજાર દિવડાઓથી ગામ ઝળહળી ઉઠ્યું હતું. ગામની મહિલાઓએ માંડવીઓ માથે રાખી ગરબે ઘૂમતા આહલાદક દ્રશ્ય સર્જાયું હતું. બિલિયા ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છેત્યારે સિદ્ધપુર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો માતાજીના ગરબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

Read the Next Article

ભરૂચ : વાલિયાના ડેહલી ગામે 20 હજાર વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ, વનમંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

New Update

વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે કરાયું આયોજન

"એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત કાર્યક્રમ

વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ

વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

મોટી સંખ્યામાં મહાનુભાવો-વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાવાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગતરાજ્યનાવનઅનેપર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંમિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજયકક્ષાવનપર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જજળ સંપતી અને પાણી પુરવઠાગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે,  ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું.PM મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ગતવર્ષ "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાસમાજીક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારવન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈચ્યર, SRPF-CRPF કેમ્પના જવાનો, NCC કેડેડપોલીસ જવાનોસખી મંડળો સહિત માતાબહેનોશાળાના વિદ્યાર્થીઓવનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.