પાટણ: શિક્ષણરૂપી સંસ્કારનું સિંચન કરતી શાળામાં જ બાળકીઓ અસલામત, આચાર્ય સામે નોંધાઈ ફરિયાદ

પાટણના હારીજમાં શાળાના આચાર્યે બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે,અને આચાર્યની આ ગંદકી હરકતથી વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

New Update

શિક્ષણનું ધામ થયું પુનઃકલંકિત

શાળાના આચાર્ય જ બન્યો હેવાન

શું શાળામાં બાળકીઓ સલામત નથી?

શાળાના આચાર્યએ કરી બાળકીઓની છેડતી

આચાર્યની ગંદકી હરકતથી વાલીઓમાં રોષ

રોષે ભરાયેલા વાલીએ આચાર્યને માર્યો લાફો

પોલીસે ઘટના અંગે શરૂ કરી તપાસ

પાટણના હારીજમાં શાળાના આચાર્યે બાળકીઓની છેડતી કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે,અને આચાર્યની આ ગંદકી હરકતથી વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા ગામનો પ્રવીણ ભલાભાઇ પટેલ ફરજ બજાવે છે. જે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓની છેડતી કરતો હોવાના આક્ષેપ સાથે બાળકીઓએ વાલીઓને સાથે રાખીને હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાનો આચાર્ય પ્રવીણ પટેલ અવારનવાર બાળકી સાથે શારીરિક છેડછાડ કરતો હતો.અને આ વાતની કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખવાની અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપતો હતો. જેને લઇને બાળકીઓ ડરી જતી હતી અને કોઈને વાત કરતી નહોતી. જોકેઆ દરમિયાન એક બાળકી ખૂબ જ ડરી ગઇ હતી અને બીમાર પડી ગઇ હતી. જે શાળાએ ન જતા તેના વાલીએ તેને પૂછતાં તેણે સઘળી હકીકત પોતાના પિતા આગળ વર્ણવી હતી.પોતાની દીકરીની વાત સાંભળીને પિતાએ પોતાના વિસ્તારની અન્ય બાળકીઓના પિતા સાથે વાત કરી હતી અને અન્ય બાળકીને પુછ્યું તો અન્ય બાળકીઓએ પણ શાળાનો આચાર્ય ગંદી હરકતો કરતો હોવાનું જણાવ્યું હતું.અને શાળામાં રજૂઆત દરમિયાન રોષે ભરાયેલા એક વાલીએ આચાર્યને લાફો માર્યો હતો. ત્યારબાદ વાલીઓએ આચાર્ય સામે હારીજ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.