/connect-gujarat/media/post_banners/35255c7949d7aa567a8a5099cbf8caab349ba0d7a6e45688f8afa330ecd21b4e.jpg)
પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ખોડીયાર ધામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ આયોજિત 41મા સમૂહલગ્નમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.
પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ખોડીયાર ધામ ખાતે રાધનપુર વિધાનસભા બેઠકના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શ્રી વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 41માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા. આ પ્રસંગે રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, સમૂહલગ્ન સમીતીના પ્રમુખ મફાજી ઠાકોર, ડો. ગોવિંદજી ઠાકોર સહીત મહાનુભાવોએ નવયુગલોને લગ્નજીવનની કેડી કંડારવા આશીર્વાદ આપ્યા હતા. વઢીયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં આમંત્રિતોએ ઉપસ્થિત રહી સમૂહલગ્ન પ્રસંગને સંપન્ન કર્યો હતો.