પાટણ:રાધનપૂર ખાતે તાલુકા સેવા સદનના નવ નિર્મિત મકાનનું લોકાર્પણ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત
તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
BY Connect Gujarat Desk1 Jun 2023 12:04 PM GMT
X
Connect Gujarat Desk1 Jun 2023 12:04 PM GMT
પાટણના રાધનપુર ખાતે તાલુકા સેવા સદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ પર સેવાસદનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટણ જિલ્લા કલેકટર,નાયબ કલેકટર મામલતદાર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રૂપિયા 9.70 કરોડના ખર્ચે તાલુકા સેવા સદનનું નવુ મકાન બનાવવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર બાયપાસ રોડ બનાવવાની જાહેરાત કરી હતી અને રાધનપુર વિધાનસભાના અન્ય બાકી કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
Next Story