Connect Gujarat
ગુજરાત

પાટણ: રાધનપુરમાં ગટરના દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ,પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી

રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર અને રામનગર સહિત ના રહીશો દ્વારા ગટરના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

X

પાટણના રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર અને રામનગર સહિત ના રહીશો દ્વારા ગટરના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ વોર્ડ નંબર સાતના સોનલ નગર રામનગર સહિતનારહિસો દ્વારા રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગટરના ગંદા પાણીને લીધે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે તેને લઈને અલટી મેટમ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.ઘણા સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બનાવવામાં આવેલી ઘટક યોગ્ય કામગીરી ના કરેલી હોય તેને લઈને ગટર ઉભરાવાના કારણે ગટરના ગંદા પાણી સોસાયટીઓમા ભરાતા રામનગર અને અન્ય સોસાયટીના રહેવાસીઓ બીમારીનો ભોગ બની રહ્યા છે તેને લઈને આવેદનપત્ર આપી અલ્ટીમેટમ આપવામાં સાત દિવસની અંદર ગટર અને ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો સોસાયટીના રહીશો દ્વારા આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story