હવે, પાલિકામાં ઓનલાઈન ફરિયાદ..! : પાટણ પાલિકાએ એપ લોન્ચ કરી, 48 કલાકમાં કરાશે ફરિયાદનો નિકાલ...

પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.

New Update

પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. જેથી હવે લોકોની ફરિયાદોનો પાલિકા દ્વારા 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે.

પાટણ નગરપાલિકા દ્વારા નગરજનોની સુખ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. પાટણ પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં એપ અંગે માહિતી આપતા પોસ્ટર લગાડ્યા હતા. જે એપ ડાઉનલોડ કરી શહેરીજનોને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહશે નહીં. આ એપ થકી અરજદાર પોતે જ આ એપમાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે. એટલું જ નહીંપાલિકા દ્વારા લોક સમસ્યાનો 48 કલાકમાં નિકાલ કરવામાં આવશેત્યારે જાહેર જનતાને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી પાટણ પાલિકાની સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.