પાટણ : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સભા યોજાય...

કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં જનસભા યોજાય હતી.

New Update
પાટણ : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સભા યોજાય...

કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં જનસભા યોજાય હતી.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દેશભરમાં 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે પાટણના સિદ્ધપુર શહેરના દેથળી ચાર રસ્તા સ્થિત ગોવર્ધન પાર્ક ગ્રાઉન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન સંપર્કથી જન સમર્થન સુધીના નેજા હેઠળ આયોજિત જનસભામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.