પાટણ :PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાય

ગુજરાત | Featured | સમાચાર, pm મોદીના 75મા જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરમાં 75 યુનિટ

New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી

એસ.કે.બ્લડ બેન્કમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું

શહેર ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

PM મોદીના જન્મદિવસ નિમિત્તે 75 યુનિટ રક્ત એકત્ર કરાયું

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરમાં 75 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિરસર્વ રોગ નિદાન સારવાર કેમ્પહોસ્પિટલોમાં દર્દીઓને ફુટ વિતરણયોગ શિબિરસરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયધાર્મિક સ્થળોએ PMના દીર્ધાયુ માટે પુજાપ્રાર્થનાયજ્ઞ સહીતના સેવાકીય અને સામાજીક કાર્યકમો આયોજિત કરવામાં આવ્યા છે

પાટણ શહેરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિતે ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કરતાં 75 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોરશહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીપાટણ નગરપાલિકા પ્રમુખ હિરલ પારમારજિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલશહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ આસ્વાદ સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.