પાટણ : છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાયા, પાક નુકશાની સામે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

New Update

રાધનપુરના છાણિયાથર ગામે વરસ્યો હતો ભારે વરસાદ

ગામની 600 હેક્ટર જમીનમાં ભરાયા છે વરસાદી પાણી

ખેતરમાં વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળતાની આરે

પાક નુકશાની સામે ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો

પાક નુકશાની સામે સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે વરસાદના પાણી ભરાય રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ થવાના આરે છે. જેમાં બાજરીજુવારઅડદકઠોળ અને એરંડા જેવા વાવેતર પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છેત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું નુકસાનનું વળતર ચૂકવે તેવી માગ ઉઠવા પામી છે. રાધનપુરના છાણીયાથર ગામના સરપંચ ભોજાભાઇ આહીર અને ગામના અગ્રણીઓ સહિત ખેડૂતોએ સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માગ કરી છે. નર્મદા નિગમની કેનાલમાં બરાબર સાફ સફાઈ કરવામાં નહીં આવતા ગામના ખેતરોમાં પાણી ભરાય રહેતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.