“વિશ્વ શાંતિ દિવસ” : સોમનાથ-વેરાવળમાં શાંતિદૂત એવા કબૂતરોને આકાશમાં ઉડાડી શાંતિ રેલી પ્રસ્થાન થઈ

વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

New Update

વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસની અનોખી ઉજવણી

શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા આયોજન

શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ રેલીનું આયોજન કરાયું

રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આજે તા. 21મી સપ્ટેમ્બર એટલે વિશ્વ શાંતિ દિવસત્યારે આજના દિવસે વિશ્વભરના લોકો માનવતા અપનાવે છેઅને સમાજમાં તમામ ભેદ ભૂલી એકબીજાની સુખાકારી વિશે વિચારે છે. સંયુક્ત રાષ્ટ્ર તમામ દેશોને આ દિવસે પરસ્પર દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે વિશેષ અનુરોધ પણ કરે છેત્યારે આજે વિશ્વ શાંતિ દિવસની ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં શાંતિના સંદેશ માટે વેરાવળની શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેરાવળના નવી હવેલી ચોક ખાતેથી શાંતિદૂત એવા કબુતરોને આકાશમાં ઉડાડી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર શાંતિના સ્લોગન સાથે આ  રેલી નીકળી હતી. જેમાં શિશુમંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા સ્કૂલના બાળકો જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • ભિક્ષુક વ્યક્તિને આપ્યું નવજીવન

  • સિવિલ હોસ્પિટલમાં કરાવી સારવાર

  • પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • કાર્યની સૌ કોઈએ કરી પ્રસંશા

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ક્રિષ્ના ચૌધરી થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઇ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઇ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યાં હતાં.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈ ના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે.તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતાં હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યાં હતાં ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતાં ભટકતાં ભરૂચ આવી ગયા હતા.
સંસ્થાના સ્વયંસેવક  પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કુત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.