છોટીકાશી જામનગરમાં ભગવાન હાટકેશ્વર જયંતિ નિમિત્તે ધાર્મિક પ્રસંગો યોજાયા, ભક્તો રહ્યા ઉપસ્થિત...

છોટીકાશી જામનગરમાં આજે હાટકેશ જયંતિ નિમિતે શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભગવાન હાટકેશ્વરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

છોટીકાશી જામનગરમાં ભગવાન હાટકેશ્વર જયંતિ નિમિત્તે ધાર્મિક પ્રસંગો યોજાયા, ભક્તો રહ્યા ઉપસ્થિત...
New Update

છોટીકાશી જામનગરમાં આજે હાટકેશ જયંતિ નિમિતે શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભગવાન હાટકેશ્વરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે પાટોત્સવ, ઈશ્વર વિવાહ, લઘુરુદ્ર, શિરામણ સહિત અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટીકાશી જામનગરમાં શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભગવાન હાટકેશ્વરની જયંતિની 2 દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ સંધ્યાએ જ્ઞાતિજનો દ્વારા ઈશ્વર વિવાહ અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વહેલી સવારથી હાટકેશ ભગવાનને લઘુરુદ્ર, શિરામણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જામનગર ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાંથી નાગર બ્રાહ્મણ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી વડનગરા બ્રાહ્મણ જ્ઞાતીના સુરેન્દ્ર વોરા, સૌરભ પંડ્યા અને નિશીથ શુક્લ સહિત બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #occasion #Devotees #Worship #Jamnagar #Lord Hatkeshwar Jayanti
Here are a few more articles:
Read the Next Article