સાબરકાંઠા:પ્રાંતિજ ખાતે રાહુલ ગાંધીના સમર્થનમાં સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની કરી અટકાયત

પ્રાંતિજ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્રારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી

સાબરકાંઠા:પ્રાંતિજ ખાતે રાહુલ ગાંધીના સમર્થનમાં સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની કરી અટકાયત
New Update
  • સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • રાહુલ ગાંધીના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન

  • પોલીસે કોંગ્રેસનાં 17 કાર્યકરોની કરી અટકાયત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્રારા અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી હતી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને સંસદમાંથી સસ્પેન્સ કરી તેઓનુ સભ્ય પદ છીનવાઇ જતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા વિવિધ રીતે વિરોધ કરવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ કોંગ્રેસ શહેર સમિતિ તથા તાલુકા સમિતિ દ્રારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા પ્રાંતિજ પોલીસ દ્રારા વિરોધ કરી રહેલ કોંગ્રેસના 17 કાર્યકરોની અટકાયત કરવામા આવી હતી જેમા કાર્યકારી જિલ્લા પ્રમુખ ભરતસિંહ , જિલ્લાના વિરોધ પક્ષના નેતા પ્રભાતસિંહ , રેખાબેન સોલંકી , કોંગ્રેસ તાલુકા પ્રમુખ કૌશિકભાઇ પટેલ , કોંગ્રેસ શહેર પ્રમુખ ચિરાગભાઇ પટેલ ,પૂર્વ તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ , સંજયભાઇ પટેલ , સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કર્યો હતો

#Sabarkantha #satyagraha program #17 Congress workers #BeyondJustNews #Support #Connect Gujarat #Rahul Gandhi #Gujarat
Here are a few more articles:
Read the Next Article