સાબરકાંઠા : હિંમતનગરમાં રૂ.49 લાખના દાગીનાની લૂંટ કરનાર વધુ 4 આરોપી ઝડપાયા..

હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
સાબરકાંઠા : હિંમતનગરમાં રૂ.49 લાખના દાગીનાની લૂંટ કરનાર વધુ 4 આરોપી ઝડપાયા..

સાબરકાંઠાના હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે બસ સ્ટેન્ડ નજીક ગત 12 માર્ચના રોજ હિંમતનગરની કે અશ્વિન નામની આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદથી હિંમતનગર આવ્યો હતો અને હિંમતનગર બસ સ્ટેન્ડ થી આંગડિયા પેઢીની ઓફિસ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન બે અલગ અલગ કારમાં આવેલા 11 વ્યક્તિઓએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી હતી આગડિયા પેઢીના કર્મચારી પાસે ચાંદીના અલગ અલગ 19 પાર્સલ જેનું વજન 26 કિલો 478 ગ્રામ તથા સોનાના અલગ અલગ 38 પાર્સલ જેની કિંમત 30,34,520 થતી હતી જે બધું મળી 49 લાખ 40 હજાર 936 રૂપિયાનો મુદ્દામાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી આ આરોપીઓએ લુંટી લીધો હતો જોકે કર્મચારીને પણ ગાડીમાં બેસાડી વિજાપુર રોડ પર છોડી દેવામાં આવ્યો હતો જેને લઈને પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં સાબરકાંઠા પોલીસે ચાર આરોપીને ધરપકડ કરી છે અને 11 લાખ 22 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.આ મામલામાં અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે હવે પાંચ આરોપીઓ પકડવાના બાકી છે પકડાયેલા ચાર આરોપીઓ પૈકી જયદીપસિંહ રાજપૂત નામના આરોપી આગડીયા પેઢીનો કર્મચારી છે અને એ કર્મચારી દ્વારા અન્ય આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ રેકી કરવામાં આવી હતી અને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે