સાબરકાંઠા : પ્રાંતિજના તાજપુર કુઈ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના તાજપુર કુઈ નજીક 2 કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ ગામ પાસે રાત્રીના સમયે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના તાજપુર કુઈ ગામ પાસે આવેલ બ્રીજ નજીક કાર નં. જીજે.૦૧.આરબી.૭૭૩૫નો ચાલક પૂર ઝડપે બેદરકારી રીતે હંકારી લાવી આગળ જઈ રહેલ અન્ય કાર નં. જીજે.૦૧.કેએ.૪૧૬૭ને પાછળથી ટક્કર મારતા બન્ને કાર રોડની વચ્ચોવચ પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા, જ્યાં બન્ને કારમાં સવાર 4થી વધુ લોકોને ઇજા પહોચતા તેઓને બહાર કાઢ્યા હતા. ત્યારાબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા એક વ્યક્તિનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ સંદર્ભે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.