Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પિતાનું નિધન થતા 5 દિકરીઓએ કાંધ અને અગ્નિદાહ આપી પુત્રની ખોટ સારી...

પ્રાંતિજ તાલુકાના મોયદ પાસે આવેલ રૂપપુરા ગામે 5દિકરીઓના પિતાનું મરણ થતા દિકરીઓએ કાંધો અને અગ્નિદાહ આપી દિકરાની ખોટ પુરી કરી પુત્રધર્મ નિભાવ્યો હતો.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ પાસે આવેલ રૂપપુરા ગામે 5દિકરીઓના પિતાનું મરણ થતા દિકરીઓએ કાંધો અને અગ્નિદાહ આપી દિકરાની ખોટ પુરી કરી પુત્રધર્મ નિભાવ્યો હતો. રૂપપુરા ગામે રહેતા મૃતક રાજુભાઇ પટેલ કે, જેવો અમેરિકા ખાતે રહે છે. તેઓને સુમીત્રાબેન, ઈલાબેન, ભગવતીબેન, ગીતાબેન અને ગાયત્રીબેન નામની 5 પુત્રીઓ છે. તેઓ થોડાક સમય માટે પોતાના માદરે વતન રૂપપુરા ખાતે આવ્યા હતા, જ્યાં સવારના સમયે તેઓને હાર્ટએટેક આવતા 74 વર્ષની વયે નિધન થતા તેમના પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. જોકે, વયસ્કને સંતાનમાં એક પણ દિકરો ન હોય અને 5 દિકરીઓ હોય, ત્યારે પાંચેય દિકરીઓ પિતાની અંતિમ ક્રિયામાં જોડાઇ પિતાને કાંધ આપી હતી. એટલું જ નહીં, સ્મશાન ધામ પહોંચીને દીકરીઓએ અગ્નિદાહ પણ આપ્યો હતો. પુત્રીઓએ પુત્રની ખોટ સારવા દીધી ન હતી, ત્યારે દરેક સમાજ માટે આ દીકરીઓ પ્રેરણારૂપ છે તેમ કહીએ તો પણ નવાઈ નહી…

Next Story