સાબરકાંઠા : પિતા-પુત્રની હત્યા બાદ હત્યારો ખુદ હત્યાનો શિકાર થયો, ત્રિપલ મર્ડરની ઘટનાથી અજાવાસમાં ચકચાર..!

પોશીના તાલુકાના અજાવાસ ગામે અંગત અદાવતમાં 5 વર્ષીય બાળક અને પિતાની હત્યા કરનાર હત્યારાની પણ હત્યા થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે

સાબરકાંઠા : પિતા-પુત્રની હત્યા બાદ હત્યારો ખુદ હત્યાનો શિકાર થયો, ત્રિપલ મર્ડરની ઘટનાથી અજાવાસમાં ચકચાર..!
New Update

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ ગામે અંગત અદાવતમાં 5 વર્ષીય બાળક અને પિતાની હત્યા કરનાર હત્યારાની પણ હત્યા થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો.

સાબરકાંઠાના પોશીના તાલુકાના અજાવાસ ગામમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક લલ્લુ ગમાર ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જ્યાં તેમના પરિવારમાં તેમની પત્ની, 5 દિકરા અને 1 દીકરી પણ છે. અજાવાસથી 4 કિલોમીટર આવેલા જીજણાટ ગામે રહેતા રમેશ બોબડીયા કે જે લલ્લુ ગમારની બહેનના દિયર થાય છે. ગત રાત્રીએ લલ્લુ ગમારનો પરિવાર સુઈ રહ્યો હતો, તે દરમિયાન જ રમેશ બોબડીયાએ અચાનક બહાર જઈને હાથમાં કુહાડી લાવીને ઊંઘતા લોકો પર ધારદાર ઘા ઝીંકયા હતા, ત્યારે પરિવારે બૂમાબૂમ કરતા બાજુમાં રહેતા મૃતકના ભાઈ સહિત આસપાસના લોકોએ દોડી આવ્યા હતા, ત્યારે હત્યા કરનાર રમેશ અને મૃતકના ભાઈ આમને સામને આવી જતા હત્યા કરનાર રમેશની પણ હત્યા થઈ હતી. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

#Sabarkantha #killer #murder #BeyondJustNews #Connect Gujarat #triple murder #Gujarat #Father and son
Here are a few more articles:
Read the Next Article