/connect-gujarat/media/post_banners/ff3f0797c0d6ffbcf5f93934375a255dbc32306d638fe394a9208f7c150d4802.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના મોટામાંઢ વિસ્તારમાં પૈસાની લેતી દેતીને લઈ બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હાલ તો આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતિમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી જૂથ અથડામણને લઈ સમગ્ર વિસ્તારમાં અને પ્રાંતિજ શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે સાબરકાંઠા પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે અને શહેરમાં ખડકી દેવામાં આવ્યું છે જોકે હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા 14 ઇસમો સામે નામજોગ અને 30 ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંતિજ શહેર બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા જોકે હાલ તો પ્રાંતિજની બજાર વિસ્તાર સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે.