સાબરકાંઠા : હિંમતનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય, નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાય હતી. કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને લઈને સાંસદ શોભના બારૈયાધારાસભ્ય વી.ડી.ઝાલા અને જિલ્લા કલેકટર રતનકવર ગઢવીચારણજિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી.

જે તિરંગા યાત્રામાં સમગ્ર શહેરમાં ફરતા દેશભક્તિનો રંગ છલકાયો હતો. ઠેર ઠેર તિરંગા યાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

 

Read the Next Article

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર છે ત્યારે અમદાવાદમાં પણ રોજના 100થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે.

New Update
Delhi Corona Case

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર છે ત્યારે અમદાવાદમાં પણ રોજના 100થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે.

અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 175 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 761 થઈ છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 237 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ નોંધાયા છે. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવ્યું છે.તો બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાનો ખતરો વધ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થયું છે. છેલ્લા 4 દિવસથી 55 વર્ષીય વૃદ્ધને કોરાના થયો હતો. હાયપર ટેન્શનની બિમારીથી દર્દી પણ પીડાતા હતા.