સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!

પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નવાપુરા ગામ ખાતે વેસ્ટ કચરાના નિકાલ માટે જગ્યા ફાળવવામાં આવી છે, ત્યારે જે તે વખતે જગ્યાની ફાળવણી કરવામાં આવતા રહેણાંક વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગામનો વેસ્ટ કચરો સહિત ઘન કચરો અહી નાખવામાં આવે છે. જેની સાથે જ મૃત પશુઓને પણ અહી જ નાખવામાં આવે છે. જેના કારણે અહીના વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાતા લોકોમાં રોગચાળો પણ ફેલાવવાની દહેશત વર્તાય રહી છે. તો બીજી તરફ, ડમ્પિગ સાઇટની બાજુમાં જ ખેતીની જમીનો પણ આવેલી છે, ત્યારે ખેતી પાકોમાં પણ નુકશાન જવાની ભીતિ સેવાય રહી છે.

જોકે, રહેણાંક અને ખેતી વિસ્તારની બાજુમાં જ કચરામાંથી વેસ્ટ અલગ કરવા માટેનો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જે પ્લાન્ટમાંથી ધૂળ ઉડીને પાસે આવેલ તમાકુના ખેતરમાં જતા તમાકુના પત્તાઓ ઉપર ધૂળના થળ જામ્યા છે. અને કેટલાય ખેડૂતોને ખેતીમાં નુકશાન ગયુ છે, ત્યારે અનેકવારની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઇ યોગ્ય નિકાલ ન આવતા આ વિસ્તારના રહીશોની હાલત કફોડી થવા પામી છે. ખેતીમાં નુકશાનની સાથે જ રહીશોમાં શરદી, ઉધરસ, શ્વાસની સાથે સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વહેલી તકે સ્થાનિકોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
Latest Stories